Chapter : હજ્જે બદલના અહકામ
(Page : 261)
સવાલ(૩૭પ–પ):– એક ભાઈ ચાલુ સિઝનમાં અરજી પાસ થાય તો રમઝાન પહેલાં હજ્જે બદલ જનાર છે, તેમણે સ્ટિમરમાં કઈ પ્રકારનો એહરામ બાંધવો જોઈએ ? હજ્જે બદલ માટે કયાં અને કયારે અને હજ્જના કેટલા દિવસ પહેલાં એહરામ બાંધવો જોઈએ ? હુકૂમત–સરકાર મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહ કયારે રવાના કરે અને કેટલા દિવસ રહેવા દે ? તે હજ્જે બદલમાં જનારના ઈખ્તિયારમાં નથી હોતું,જેથી મદીનહ મુનવ્વરહ જઈ હજ્જે બદલ માટે એહરામ બાંધી શકે ? અગર તેને ત્યાંની હુકૂમત તરફથી કોઈ જાતની પાબંદી ન હોય તો તેણે હજ્જે બદલ માટે સહીહ તરીકો શું ઈખ્તિયાર કરવો જોઈએ ? તે ખુલાસાવાર જણાવશો.
જવાબ(૩૭પ–પ):– સલામ બાદ જવાબમાં જણાવવાનું કે મોકલનાર હજ્જે બદલ કરનારને સંપૂર્ણ અધિકાર (હજ્જના ત્રણ પ્રકાર બાબત) આપી દે કે તમારી ઈચ્છાનુસાર હજ્જ કરો,રમઝાન અગાઉ જનાર મીકાતથી ઉમરહનો એહરામ બાંધે,ઉમરહ કરીને જો મદીનહ મુનવ્વરહ જાયતો મદીનહ મુનવ્વરહના મીકાતથી હજ્જનો એહરામ બાંધે તો મોકલનારની હજ્જે બદલ અદા થશે. ઈ.અ.,મોકલનારના હુકમ પ્રમાણે કરે,તેના હુકમ વિરૂધ્ધ કરે નહિં, તેના હુકમ મુજબ હજ્જે તમત્તુઅ (એક જ સફરમાં હજ્જ તથા ઉમરહ જુદા જુદા એહરામ થી અદા કરવા) પણ કરી શકાય,તેણે મનાઈ કરી હોય તો જાઈઝ નથી. એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. ( આલમગીરીઃ૧/રપ૭)
Log in or Register to save this content for later.