[૩ર] ટી.વી. પર મેચ જોવાથી વુઝૂ તૂટવું

Chapter : તહારત

(Page : 67)

સવાલ :– અહિં અમારા દોસ્ત–અહબાબ જેઓ નમાઝના પાબંદ છે, તેઓ અઝાન થતાં તરત જ વુઝૂ કરી લે છે અને ટી. વી. પર આવતી ક્રિકેટ મેચ જોવા માટે ફરી બેસી જાય છે અને ફર્ઝ નમાઝની જમાઅત ઉભી થતાં જમાઅતમાં શામિલ થાય છે તો વુઝૂ કરી ટી. વી. જોવાથી વુઝૂ તૂટી જશે ? આવી રીતે જે દોસ્ત અહબાબે નમાઝ અદા કરી છે તે શું ફરીથી દોહરાવવી પડશે કે નહિં ?

જવાબ :– પ્રથમ તો ટી. વી. પર ક્રિકેટ મેચ જોવી એ વ્યર્થ અને લાયાની (બેકાર) કાર્ય છે, વખતનો વ્યય છે, જે ઇસ્લામની ખૂબી અને કમાલના ખિલાફ છે, તેના કારણે જોનાર બીજા ગુનાહોમાં પણ સંડોવાય છે, અઝાન થયા પછી તો વિશેષ રીતે તેનાથી બચવું જોઈએ, કારણ કે અઝાન તો નમાઝની તૈયારી માટે આપવામાં આવે છે, માટે મેચ જોવા માટે જલ્દી જલ્દી વુઝૂ કરવાથી વુઝૂનો મુસ્તહબ તરીકો છૂટી જવાનો ભય છે અને ફર્ઝ નમાઝોથી પહેલાંની સુન્નતો પણ છૂટી જશે, અગર પઢશે તો પણ દિમાગમાં મેચના વિચારો સાથે નમાઝ પઢાશે, જે નમાઝના કમાલના વિરુદ્ધ છે. માટે અઝાન પછી ટી. વી. પર મેચ જોવી જાઈઝ નથી, વુઝૂ કરીને સુન્નતો પઢી, તસ્બીહ, તિલાવત, ઝિક્રમાં મશ્ગૂલ રહેવું જોઈએ.

ટી. વી. જોવાથી વુઝૂ તૂટી તો નહિં જાય, પરંતુ ટી. વી. જોયા પછી ફરીવાર વુઝૂ કરવું મુસ્તહબ છે. (શામી ભા. ૧)

Log in or Register to save this content for later.