Chapter : ઝકાત
(Page : 251)
સવાલ(૩પ૪–પ૯):– એક માણસ પાસે ઝકાતના નિસાબ જેટલો માલ છે,તેની પાસે પોતાની અંગત પઢવા માટેની દીની કિતાબો છે,(વેચવા માટે નહિં,પરંતુ અંગત પઢવા માટેની છે) તો તે કિતાબો ઉપર વર્ષ પુરૂ થયો ઝકાત લાગુ થાય ખરી ?
જવાબ(૩પ૪–પ૯):– ઉકત કિતાબો ઉપર ઝકાત નથી. ભલે ને નિસાબથી વધુ કિંમતની હોય ! વેચવાની કિતાબો કે માલ ઉપર ઝકાત લાગુ પડશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ૩/૧૭૮. આલમગીરીઃ ૧/૧૭ર)
Log in or Register to save this content for later.