સોનું–ચાંદી નિસાબથી ઓછાં હોય તો ?

Chapter : ઝકાત

(Page : 238)

સવાલ(૩ર૪–ર૯):–  એક માણસ પાસે સાડા ચાર તોલા સોનું છે,તથા રૂપિયા ૪૦૦/– રોકડા છે,અને દસ ગ્રામ ચાંદી છે,તો તેની ઉપર ઝકાત વાજિબ થશે કે કેમ ?

જવાબ(૩ર૪–ર૯):–  જો કોઈની પાસે કેવળ સોનું કે કેવળ ચાંદી નિસાબથી ઓછું હોય તો કિંમત હાંકવામાં આવશે નહિં, તેના ઉપર ઝકાત ફર્ઝ થશે નહિં, અલબત્ત સોનું ચાંદી બન્‍ને હોય તો કિંમત લગાવીને ચાંદીનો નિસાબ પુરો થતો હોય તો ઝકાત આપવી પડશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૩/ર૩૪. આલમગીરીઃ ૧/૧૭ર)

Log in or Register to save this content for later.