Chapter : ઝકાત
(Page : 235)
સવાલ(૩૧૯–ર૪):– ઝકાતના હકદાર કોણ છે ? ઝકાત કોને આપી શકાય?
જવાબ(૩૧૯–ર૪):– ઝકાતના હકદાર વિષે કુર્આનમાં વર્ણન આવેલ છે,તે પૈકી ફકીર,મિસ્કીન ને આપી શકાય,માલદાર જે શરીઅતની રૂએ નિસાબનો માલિક હોય તેને ઝકાત આપી ન શકાય,મકરૂઝ–દેવાદારને આપી શકાય. મુસાફિરને (જેની પાસે સફરખર્ચ ન હોય) આપી શકાય. ભલે તેના વતનમાં તે માલદાર હોય ! પોતાના મા–બાપ અને ઔલાદને ઝકાત આપી શકાય નહિં. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(હિદાયાઃ ૧/ર૦૪ તથા ર૦૬. શામીઃ ૧/ર૮૩. આલમગીરીઃ ૧/૧૮૭)
Log in or Register to save this content for later.