મદ્રસા–કબ્રસ્તાનના કામ માટે ઝકાત.

Chapter : ઝકાત

(Page : 235)

સવાલ(૩૧૮–ર૩):–  અમોએ ગરીબ લોકોના ફલાહ–બેહબૂદ (ઉધ્ધાર –ઉત્કર્સ) માટે એક જમાઅત બનાવી,એક મદ્રસો ચાલુ કર્યો છે,જેમાં પ૦ છોકરા તા’લીમ લે છે,આ મદ્રસાને જારી કરવા (જારી રાખવા) અને એ જમાઅતના એક પુરાણા કબ્રસ્તાનની તા’મીર (મરામત) કરાવવાની હોય અમો ચંદો ફાળો ઉઘરાવી એ કામ અંજામ દેવા માંગીએ છીએ,હવે અમને એ ચંદામાં–ઈમદાદ માં ઝકાત, સદકા, લિલ્લાહ, ફિત્રા તેમજ કુર્બાનીના ચામડાની રકમ મળે તેમજ ગેરમઝહબ ના લોકો પાસેથી કોઈ રકમ મળે કે પછી નિકાહ ખ્વાનીની કે વ્યાજની રકમ મળે તો હવે અમારે એ રકમને કઈ રીતે ઈસ્તમાલ કરવાની રહેશે ?

જવાબ(૩૧૮–ર૩):–  વાજિબહ સદકહ એટલે કે ઝકાત,ફિત્રા વિગેરેની અદાયગી માટે એ રકમનો ગરીબ હકદારને માલિક બનાવવું શર્ત (અનિવાર્ય) છે,આથી મદ્રસામાં એવી રકમ વાપરી શકાય નહિં,મુદર્રિસને મહેનતાણાં પેટે દઈ શકાય નહિં,અલબત્ત નફલી સદકાની રકમ તેમજ લિલ્લાહની રકમ તથા બિન મુસ્લિમે આપેલી રકમ વાપરી શકાય છે,વ્યાજની રકમ પણ એવા કામમાં વાપરી શકાય નહિં,એ ગરીબોનો હક છે,કુર્બાનીના ચામડાં બક્ષીશ મળેલાં હોય તો તેની ઉપજેલી કિંમત વાપરી શકાય,નહિંતર જાઈઝ નથી. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/૧૭૦ તથા ૧૮૮)

Log in or Register to save this content for later.