Chapter : ઝકાત
(Page : 234)
સવાલ(૩૧૭–રર):– અમારી પાસે ઝકાતની રકમ છે,એ ઝકાતની રકમને સાર્વજનિક પાણીના નળ માટે વાપરવા માંગીએ છીએ,તો મજકૂર ઝકાતના પૈસા સાર્વજનિક નળ–વપરાશમાં ચાલી શકે કે નહિં ?
જવાબ(૩૧૭–રર):– ઝકાતની અદાયગી માટે તમ્લીક (હકદારને લિલ્લાહ માલિક બનાવવું) શર્ત છે,નહિં તો ઝકાત અદા થશે નહિં,આથી ઝકાતની રકમ ઉકત કામમાં (સાર્વજનિક નળમાં) વાપરી શકાય નહિં,ઝકાત અદા થશે નહિં. એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ૩/ર૯૧. આલમગીરીઃ ૧/૧૮૮)
Log in or Register to save this content for later.