Chapter : ઝકાત
(Page : 233)
સવાલ(૩૧૩–૧૮):– ઝકાતની રકમ મદ્રસા,મસ્જિદના બાંધકામમાં આપી શકાય ? ઝકાતના હકદાર કોણ થઈ શકે ?
જવાબ(૩૧૩–૧૮):– ઝકાતમાં માલિક બનાવવું શર્ત છે,જેથી મસ્જિદ મદ્રસાના બાંધકામમાં ઝકાત આપવી જાઈઝ નથી,ઝકાત આપવાથી અદા થશે નહિં, ફરીથી ઝકાત આપવી પડશે,ઝકાતના સાત હકદારોમાંથી કોઈ એકને આપી માલિક બનાવવામાં આવે તો જ અદા થશે. ફકત અલ્લાહ વધુ જાણનાર છે.
ફાયદોઃ– ઝકાતના હકદાર માણસો,ફકીર,મિસ્કીન,દેવાદાર,મુસાફિર છે; કુર્આને વર્ણેલ બાકીના ત્રણ પ્રકારના માણસો વર્તમાનયુગમાં પ્રાપ્ય નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ૩/૧૭૧ તથા ૩/ર૮૩)
Log in or Register to save this content for later.