Chapter : ઝકાત
(Page : 232)
સવાલ(૩૧ર–૧૭):– ઝકાતના પૈસાથી મદ્રસો તેમજ ઈમામનું ઘર બાંધી શકાય કે નહિં ? જો હીલો કરી બાંધવાની શકયતા હોય તો શું હીલા માટે એવો માણસ જોઈએ કે પોતે ઝકાતનો હકદાર હોય ? અથવા દરેક માણસ હીલામાં ચાલી શકે ?
જવાબ(૩૧ર–૧૭):– ઝકાત,સદકા,વાજિબહ, ફિત્રા વિગેરેથી મસ્જિદ કે મદ્રસો બાંધવો જાઈઝ નથી,એમાં હકદારોને માલિક બનાવી આપવું શર્ત છે, દુર્રે મુખ્તારમાં એનો હીલો સુચવ્યો છે,કે પ્રથમ કોઈ ઝકાતના હકદારને માલિક બનાવી દેવામાં આવે,પછી તે હકદાર પોતાના તરફથી મસ્જિદ કે મદ્રસામાં આપે. પેશઈમામ ઝકાતના હકદાર હોય તો આપી શકાય,તેમનું ઘર બાંધી શકાય,નહિંતર ઝકાત અદા થશે નહિં. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૩/ર૯૧. આલમગીરીઃ ૧/૧૮૮)
Log in or Register to save this content for later.