Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 224)
સવાલ(ર૯૪–૧૭૪):– સાચા દિલથી ગુનેહગાર માણસ તૌબહ કરે તો પછી એની નમાઝ,રોઝા,ઈબાદત કબૂલ થશે કે નહિ ?
જવાબ(ર૯૪–૧૭૪):– નમાઝ,રોઝા વિગેરે બધી ઈબાદત ઈ.અ. કબૂલ થશે. સાચી તૌબહ કરનારથી ખુદાપાક બહુ રાઝી થાય છે,કે ભટકેલ મારો બંદો પાછો મારા તરફ રજૂ થયો,હદીષ શરીફમાં વર્ણન છે કે એક માણસ ડેન્જર વનમાં ઉંટ ઉપર જઈ રહયો હતો,તે ઉંટ ઉપર તેનું ભાથું,પાણી વિગેરે હતું,એક ઝાડ નીચે વિસામો લેવા સુઈ ગયો,જાગ્યો ત્યારે ઉંટ હતું નહિં,અત્યંત ગભરાઈને ખોળવા લાગ્યો,છતાં મળ્યું નહિં, નિરાશ થઈ ભુખ્યો,તરસ્યો મરવા સુતો આંખ ખુલી તો ઉંટને ઉભેલું જોયું,જેથી બેહદ ખુશ થઈ કહેવા લાગ્યો કે ” હે અલ્લાહ ! તું મારો બંન્દો અને હું તારો રબ ” ખુદાપાકની પનાહ, અપાર ખુશીમાં ઉલ્ટું બોલી ગયો,જાણે બીજીવાર જીંદગી મળી,એનાથી પણ વધુ અલ્લાહ તઆલા તૌબા કરનારથી ખુશ થાય છે. તૌબાનો ભાવાર્થ ખુદાપાકથી કરાર કરવો કે ભવિષ્યમાં ગુનાહોથી પરહેઝ કરીશ,શકય સુધી બચવાનો પ્રયાસ કરે,છતાં ખુદા ન કરે જો તૌબા તૂટી જાય તો ફરી પાકી તૌબા કરે, નાઉમીદી કુફ્ર છે. અલ્લાહ તઆલા ગફુરૂર્રહીમ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (મિશકાત શરીફઃ ર૦૩)
Log in or Register to save this content for later.