Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 222)
સવાલ(ર૮૯–૧૬૯):– અમારે ત્યાં ઘણાં ભાઈઓ ફરજ નમાઝ માટે તકબીર કહેવામાં આવે ત્યારે હય્ય અલસ્સલાહ ઉપર ઉભા થાય છે,અને ઘણાં માણસો શરૂથી જ ઉભા થઈ જાય છે,માટે અમે તે બેઠેલા લોકોને કહયું કે એવું કંઈ નથી કે હય્ય અલસ્સલાહ ઉપર જ ઉભુ થવું,તો તે લોકો સવાલ કરે છે કે તમારી પાસે કંઈ સાબિતી છે કે વહેલું ઉભુ થવું ?
જવાબ(ર૮૯–૧૬૯):– મુસલ્લીયોએ કયારે ઉભા થવું બેહતર છે,એ વિષે મતભેદ છે,અમૂક હય્ય અલસ્સલાહ વખતે અફઝલ કહે છે,પરંતુ એનો અર્થ (આશય) આ છે કે ઉકત કલેમા ઉપર ઉભા થઈને સફો સીધી કરી લેવામાં આવે,જેથી તકબીરે તહરીમા છુટે નહિં,એ અગાઉ ઉભા થવું નાજાઈઝ નથી, જયારે પેશ ઈમામ નમાઝ માટે મુસલ્લા તરફ જવા માંડે મુસલ્લીઓ પણ ઉભા થઈને સફો બાંધવા માડે,જેમકે સહાબા (રદિ.) નો અમલ હતો,અલ્લાહના રસૂલ (સલ.) ને ઘરમાંથી નીકળતા જોઈ સફો બાંધવા માંડતા. તકબીર શરૂ થયા બાદ મસ્જિદમાં આવનાર બેસી જાય અને હય્ય અલસ્સલાહ વખતે ઉભા થવાને જરૂરી (સુન્નત) માનવું સનદથી સાબિત નથી,બિદઅત લેખાશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(જવાહિરૂલ ફિકહઃ ૧/૩૧૦)
Log in or Register to save this content for later.