સાત વરસથી નાના બાળક.

Chapter : નમાઝના વિવિધ મસાઈલ

(Page : 219)

સવાલ (ર૮ર–૧૬ર):– આઠ–નવ વરસના છોકરા ઘણાં શોખથી નમાઝ પઢવા મસ્જિદમાં આવે છે,અને જમાઅતખાનામાં પાછલી સફમાં ઉભા રહી નમાઝ પઢે છે, એક બે મુસલ્લીયો તેઓ માટે કરાહત કરે છે,તો શું એ યોગ્ય છે ? અને શું એ લોકોને જમાઅતખાનામાં દાખલ ન થવા દેવા જોઈએ ?

જવાબ (ર૮ર–૧૬ર):– સાત(૭) વરસના બચ્ચાંને રસૂલે કરીમ (સ.અ.વ.) એ નમાઝ પઢાવવાની ટેવ પાડવાનો હુકમ આપ્યો છે,અને નમાઝમાં આળસ કરે તો હળવી તંબીહ–મારવાની તાકીદ કરી છે. (મિશકાત શરીફઃ પેજ–પ૮)

                ઉપરોકત હદીષથી ફલિત થયું કે સાત વરસથી મોટી વયના છોકરાઓ (જેમને પાકીનું ભાન હોય) મસ્જિદમાં આવી જમાઅતથી નમાઝ પઢી શકે છે, તેમના આવવાથી કરાહત કરવી યોગ્ય નથી.

                બાળકોની સફ મોટાઓની પાછળ અલગ કરવી જોઈએ,અલબત્ત સાત વરસથી નાના બાળકોને પાકીનું ભાન હોતું નથી,તેમને મસ્જિદ નાપાક થવાના ભયથી જમાઅતખાનામાં લાવવા મનાઈ છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.  (શામીઃ ર/૩૧૪)

Log in or Register to save this content for later.