રમઝાન માસની વિત્રની મસનૂન કિરાઅત.

Chapter : વિત્રની નમાઝ

(Page : 218)

સવાલ (ર૭૯–૧પ૯) :–  રમઝાન શરીફમાં વિત્રની નમાઝમાં સૂરએ સબ્બિહિસ્મ અને સૂરએ ઈન્ના અન્ઝલ્ના અને કુલ યા અય્યુહલ કાફિરૂન અને કુલહુવલ્લાહ, અમુક દિવસે પઢવું મુસ્તહબ હોય સમજીએ છીએ તો હમારા ઈમામ સા. આખી રમઝાન શરીફમાં પઢવા માંગતા નથી બિદઅત અને ગુનોહ સમજે છે તો શરઈ હુકમ શું છે?

જવાબ (ર૭૯–૧પ૯):–  વિત્રમાં દર્શાવેલ કિરાઅત– પહેલી રકાતમાં સબ્બિહિસ્મ અને બીજી રકાતમાં કુલ્યા અય્યુહલ કાફિરૂન અને ત્રીજીમાં કુલ્હુવલ્લાહ મુસ્તહબ છે. બિદઅત નથી, પરંતુ એને જરૂરી જાણે નહિં કે એના સિવાય બીજી સૂરતો પઢી શકાય નહિ, આથી કદી કદી બીજી સૂરતો પણ પઢવી જોઈએ એ વિષે ઈમામ ઉપર દબાણ કરવું ઠીક નથી. અલ્લાહપાક વધુ જાણનાર છે.

 (શામીઃર/૪૪૧)

Log in or Register to save this content for later.