Chapter : ઈદના મસાઈલ
(Page : 214)
સવાલ(ર૭૦–૧પ૦):– તકબીરે તશરીક કોના ઉપર વાજિબ છે ? કયારે પઢવી અને કેટલા દિવસો સુધી પઢવી જોઈએ.?
જવાબ(ર૭૦–૧પ૦):– શહેર અથવા કસ્બામાં દરેક મુકલ્લફ (જેને શરીઅતના હુકમ લાગુ પડતા હોય તેવી) વ્યકિત પર વાજિબ છે, નવમી (૯) જિલહજની ફજરથી તેરમીની (૧૩) અસર સુધી દરેક તે નમાઝ પછી જે જમાઅત સાથે પઢવામાં આવે છે એક વખત ઉંચા અવાઝથી અને ઓરતો ધીમેથી કહે,અલ્લાહુ અકબર,અલ્લાહુ અકબર,લાઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર,અલ્લાહુ અકબર,વ લિલ્લાહિલ હમ્દ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ૩/૬૧ થી ૬૪. હિદાયાઃ ૧/૧૭૪-૧૭પ)
Log in or Register to save this content for later.