જુમ્આના દિવસે સૂરએ કહફ પઢવી.

Chapter : જુમ્આની નમાઝ

(Page : 212)

સવાલ(ર૬૭–૧૪૭):–     જુમ્‍આના દિવસે સૂરએ કહફ અઝાન પહેલાં કે અઝાન બાદ પઢવું જરૂરી છે,હમારે ત્યાં સૂરએ કહફ પઢયા પછી દુરૂદે તાજ પઢાય છે, પછી ફાતિહા પઢવામાં આવે છે,તો એ વિષે શું હુકમ છે ?

જવાબ(ર૬૭–૧૪૭):–     જુમ્‍આના દિવસે સૂરએ કહફ પઢવાની હદીષ શરીફથી ઘણી ફઝીલત સાબિત છે. ચાહે જુમ્‍આની રાત્રે પઢે,અથવા જુમ્‍આના દિવસે જુમ્‍આની નમાઝ પહેલાં પઢે કે પછી દુરૂદે તાજ પઢવું,અને ત્યાર પછી ફાતિહા પઢવા સાબિત નથી,એને જરૂરી સમજી રિવાજ કરવો,બિદઅત લેખાશે,બેશક દરેક માણસ પોતે જેટલું જોઈએ તેટલું દુરૂદ શરીફ કે દુઆ વિના અવાજે કરી શકે છે. પુછેલી રીત મુજબ કરવું સાબિત નથી,તેમજ દુરૂદે તાજમાં અમૂક શબ્દો એવા છે જે શરીઅત વિરૂધ્ધ છે,જેમકે ” દાફેઉલ બલાઈ વલ વબાઈ વલ કહતે વલ મર્ઝે વલ અલમ,” એટલે બલા,વબા,અને દુકાળ, બીમારી રંજો ગમ આપ (સલ.) દફે કરનાર છે.આ માન્યતા ખોટી છે,આ બધુ દૂર કરવાની શકિત અને સિફત ખાસ અલ્લાહ તઆલા માટે જ છે,બીજા કોઈ પયગમ્બર પીર મુર્શિદને આ શકિત નથી,એ વિષે બધા અલ્લાહના મોહતાજ છે,બીજી વાત એ કે દુરૂદેતાજ માણસનું બનાવેલું છે, અને રસૂલે પાક (સ.અ.વ.) ની ઝબાને મુબારકથી પઢવામાં આવ્યું હોય તે વધુ અસરકારક અને બરકતવંત હોય. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ૩/૪૩)

Log in or Register to save this content for later.