Chapter : જુમ્આની નમાઝ
(Page : 211)
સવાલ(ર ૬પ–૧૪પ)ઃ– ખુત્બો અરબી ભાષામાં પઢવામાં આવે છે,ઘણાં લોકો એમ કહે છે કે ખુત્બો અરબી ઝબાન વગર બીજી ઝબાનમાં પઢવો જોઈએ,તો એમાં શરીઅતનો શું હુકમ છે ?
જવાબ(ર ૬પ–૧૪પ):–ખુત્બો અરબીમાં જ પઢવો,રસૂલુલ્લાહ (સલ.) અને સહાબાની સુન્નત છે,એથી વિરૂધ્ધ પૂર્વજોથી સાબિત નથી,સહાબા (રદિ.) અજમી (બિનઆરબ) દેશોમાં પહોંચ્યા,દીની મસાઈલ,શરઈ હુકમો તેમને તેમની ભાષામાં શીખવ્યા,છતાં ખુત્બામાં કંઈ ફેરફાર (બીજી ભાષામાં ખુત્બો પઢવું) કર્યો નહિં,કે સાંભળનારાઓનો ખ્યાલ કરીને ખુત્બાનો તર્જુમો સંભળાવ્યો હોય એવો એક પણ દાખલો મળતો નથી,જો ખુત્બો કેવળ વઅઝો નસીહત હોય તો જરૂર તર્જુમો સંભળાવતે,બલ્કે ખુત્બો નમાઝની શર્તોમાંથી એક શર્ત છે,ખુત્બા વિના જુમ્આ દુરૂસ્ત નથી,ખુત્બો નમાઝનો એક ભાગ છે, જેમકે નમાઝમાં કુર્આન શરીફનો તર્જુમો જાઈઝ નથી,હાંલાકે કુર્આન શરીફ ઉતારવાનો મૂળ હેતુ વઅઝો તકરીર છે,એજ મુજબ ખુત્બામાં પણ તર્જુમો જાઈઝ નથી,અલબત્ત ખુત્બાની અઝાન અગાઉ અથવા નમાઝ બાદ તર્જુમો સંભળાવે, જો લોકોને શોખ હોય તો,ખુત્બામાં મના છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(આલમગીરીઃ મુસવ્વા શર્હે મોઅત્તા બ હવાલાએ નિઝામુલ ફતાવા પેજ નં.–૭૮)
Log in or Register to save this content for later.