જુમ્આની અઝાન પછી દુકાન ખુલ્લી રાખવી.

Chapter : જુમ્આની નમાઝ

(Page : 210)

સવાલ(ર૬ર–૧૪ર):–      અમારી દુકાન છે,તેના પર બે ભાઈઓ બેસીએ છીએ, જુમ્‍આના દિવસે એક મસ્જિદમાં જલ્દી નમાઝ થાય છે, ત્યાં અમો બેમાંથી એક ભાઈ જઈ જુમ્‍આ પઢી ચાલ્યો આવે છે,પછી જે ભાઈ દુકાન પર બેસ્યો હોય તે બીજી મસ્જિદમાં જયાં મોડેથી નમાઝ થાય છે,ત્યાં જુમ્‍આ પઢવા જાય છે, તો શું આ પ્રમાણે જુમ્‍આની અઝાન પછી દુકાન ખુલ્લી રાખવી જાઈઝ છે. ?

જવાબ(ર૬ર–૧૪ર):–      જુમ્‍આની પહેલી અઝાન સાંભળી જુમ્‍આ માટે કોશીષ કરવી વાજિબ થઈ જાય છે,અને જે કાર્યો જવામાં રોકાણરૂપ બનતા હોય જેમકે વેચાણ,ખરીદ,ખાવું–પીવું વિગેરે મના થઈ જાય છે,માટે જે મસ્જિદમાં તમો બન્‍નેમાંથી જે જુમ્‍આનો ઈરાદો કરશે તે મસ્જિદની અઝાન સાંભળી જુમ્‍આ માટે જાય,અને બીજો દુકાનમાં વેચે તો કંઈ વાંધો નથી,પરંતુ બીજાની મસ્જિદની અઝાન સાંભળી તેના ઉપર જવું વાજિબ થશે,પહેલા સાથીની રાહ જોવી જાઈઝ નથી, ભલેને દુકાન બંધ કરવી પડે ! સારાંશ કે જુમ્‍આ માટે જવામાં વાર લગાડવી જાઈઝ નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.                       (ઈમદાદુલ ફતાવાઃ૧/૬૭૬,શામીઃ ૩/૩૮)

Log in or Register to save this content for later.