જુમ્આ મસ્જિદમાં જુમ્આ પઢવી અફઝલ છે.

Chapter : જુમ્આની નમાઝ

(Page : 206)

સવાલ(રપ૩–૧૩૩):–     હમો માનચેસ્ટરમાં તરાફોર્ડપાર્કમાં રહીએ છીએ,અહિંયા મુસલમાનોના કુલ વીસેક ઘરો આવેલા છે,અહિંયાથી પાંચેક માઈલ દૂર જામેઅ મસ્જિદ આવેલી છે.હમો બે વરસથી (તરાફોર્ડપાર્ક) આપણાંવાળા ઘરના એક રૂમમાં તરાવીહ તેમજ જુમ્‍આની નમાઝ પઢીએ છીએ,તો જુમ્‍આ તથા તરાવીહ અહિંયા પઢવી બેહતર છે કે જામેઅ મસ્જિદમાં જવું જોઈએ ?

જવાબ(રપ૩–૧૩૩):–      તમારૂ રહેઠાણ(તરાફોર્ડપાર્ક) સીટી હોય અથવા કસ્બો (મોટું ગામ) હોય તો જુમ્‍આ,ઈદૈન (બન્‍ને ઈદો)પઢી શકો છો,ભલેને મુસ્લિમની વસ્તી ઓછી હોય ! જામેઅ મસ્જિદ જવાની જરૂર નથી. નહિંતર દુરૂસ્ત લેખાશે નહિં,તરાવીહ તો નાના ગામમાં પણ જાઈઝ છે. અલબત્ત જામેઅ મસ્જિદમાં જુમ્‍આ પઢવી અફઝલ છે.  ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.          (શામીઃ ૩/પ)

Log in or Register to save this content for later.