Chapter : જુમ્આની નમાઝ
(Page : 205)
સવાલ(રપર–૧૩ર):– જુમ્આ મસ્જિદમાં દર જુમ્આના દિવસે ખુત્બાના સમયે મિમ્બરની સામે પહેલી સફમાં ખતીબની સામે અઝાન આપવામાં આવતી હતી,અને તે રિવાજ વરસોથી હતો,પણ હમણાં જુમ્આની અઝાન મસ્જિદની બહાર (સહેનમાં) આપવામાં આવે છે,એ લોકોએ મસ્જિદના પેશઈમામને એ વિષે પુછયું તો તેમણે જવાબ આપ્યો કે મસ્જિદની અંદર અઝાન આપવી મકરૂહે તહરીમી છે,બહાર અઝાન આપવી સુન્નત છે,તો આ બાબત હદીષ તથા સુન્નત તથા ફિકહની ભરોષાપાત્ર કિતાબોના આધારે હવાલા સાથે જવાબ આપશો. ?
જવાબ(રપર–૧૩ર):– ખુત્બાની અઝાન મિમ્બર સમક્ષ દેવામાં આવે,મિમ્બર પાસે પહેલી જ સફમાં પઢવી જરૂરી નથી,મસ્જિદમાં કે બહારથી મિમ્બર સામે પઢી શકાય,બન્ને રીત જાઈઝ છે,મસ્જિદમાં મકરૂહ નથી,જેમકે હઝરત ઉસ્માન(રદિ.)ના યુગમાં ઉપરોકત બીજી અઝાન (ખુત્બાના વખતે) સહાબા (રદિ.) ની સંમતિથી વધારવામાં આવી,તેમનો અમલ મિમ્બર સામે પઢવાનો હતો. રસૂલુલ્લાહ (સ.અ.વ.) ના ઝમાનામાં તો એક જ અઝાન (જુમ્આનો ટાઈમ જણાવવા માટે) હતી,જેથી બહાર પઢાતી હતી, કે લોકોને જાણ થાય,આથી બીજી અઝાન બહાર પઢવાની જરૂરત નથી, પહેલી અઝાનથી હેતુ પુરો થઈ ગયો. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (કિફાયતુલ મુફતીઃ ૩/રરપ તથા ર૩૩)
Log in or Register to save this content for later.