વસ્તી ગણત્રી અને જુમ્આ.

Chapter : જુમ્આની નમાઝ

(Page : 204)

સવાલ(રપ૧–૧૩૧):– (અ) વરસો થયા અમારા ખેરગામમાં જુમ્‍આની નમાઝ પઢવાનું બંધ કર્યુ હતું,પણ જો ઉલમાએ દીન અને શર્એમતીન જો ઈજાઝત અતા ફરમાવે તો હમો જુમ્‍આની નમાઝ ચાલુ કરવા માંગીએ છીએ,તે માટે અમે સર્વપ્રથમ શરીઅતના તરીકા મુજબ વસ્તી ગણત્રી કરવા માંગીએ છીએ,મહેરબાની કરી તે વિષે અમારી રેહબરી ફરમાવશો.

                (બ) શરીઅતે મુહમ્મદી મુજબ જુમ્‍આની નમાઝ ચાલુ કરવા માટે વસ્તી ગણત્રી કઈ રીતે કરવી. ?

                (ક) અમૂક માણસો ખેરગામના વતની છે, અને પોતાના કામ,ધંધા અને નોકરીના કારણે ગુજરાતના બીજા ગામોમાં પાંચ–પંદર વર્ષથી પણ વધુ મુદ્દતથી રહે છે,પરંતુ તેઓએ ખેર ગામના વતની તરીકેનો પોતાનો હક છોડયો નથી,તથા તેઓની પોતાની અથવા વારસાઈ મિલકત સલામત છે. એવા માણસો શરીઅત મુજબ ગામ ખેરગામના વતની ગણાય ?

                (ડ) અમૂક માણસો પોતે અથવા એમના બાપદાદા મુળ ખેરગામના વતની હતા,પરંતુ પોતાના ધંધા અથવા નોકરીના કારણે પરદેશ આફ્રિકા,પોલેન્ડમાં વરસો થયા વસે છે,જેમાંથી અમૂક માણસોએ બ્રિટીશ અને આફ્રિકાના પાસપોર્ટ મેળવી લીધેલ છે,જયારે અમૂક માણસોએ પોતાની ઈન્ડીયન પાસપોર્ટ રહેવા દીધેલ છે, બ્રિટીશ અને આફ્રિકાના પાસપોર્ટ ધરાવનારે પણ ખેરગામના વતની તરીકેનો પોતાનો હક છોડયો નથી,તથા ખેરગામમાં એમની જ મિલકત છે તે પણ વેચી નથી, આવા સંજોગોમાં શરીઅતે મુહમ્મદી મુજબ મજકૂર ઈસમોને ખેરગામનાં વતની ગણવા કે નહિં ? વસ્તી ગણત્રીનો મસઅલો હલ થયા પછી ઈ.અ. ગામની પુરતી વિગત સહિત આપ મોહતરમની  રેહબરી મેળવીશું.

જવાબ(રપ૧–૧૩૧):–      (અ)+(બ) સર્વે ગામવાસીઓની (મુસ્લિમ હોય કે બિન મુસ્લિમ હોય) વસ્તી ગણત્રી કરવામાં આવે.

(ક)+(ડ) જેઓ ગામમાં વર્ષનો વધુ ભાગ રહેતા હોય,ત્યાંના વતની હોય કે પછી બહારથી આવીને વસેલા (મુકીમ થયા) હોય તેમની ગણત્રી કરવામાં આવશે, જેઓ વર્ષનો વધુ ભાગ બહાર (પરદેશ કે નોકરી માટે) રહેતા હોય તેઓ ગણાશે નહિં.  ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.     (શામીઃ૩/ર૪)

Log in or Register to save this content for later.