Chapter : સફરની નમાઝ
(Page : 202)
સવાલ(ર૪૬–૧ર૬):– હું આહવામાં રહું છું,પહેલાં નવસારીમાં રહેતો હતો,હાલમાં મારૂ ઘર નવસારીમાં છે,જયારે હું નવસારી જાઉ છું પાંચ દિવસ રોકાઉ છું,તો મારે નમાઝ પુરી પઢવી કે કસર કરવી ?
જવાબ(ર૪૬–૧ર૬):– નવસારી વતને અસલી (મુળવતન) હોય તો ત્યાં જવાથી પુરી નમાઝ પઢવી પઢશે,ભલે પંદર દિવસથી ઓછું થોભવાનો ઈરાદો હોય ! કારણ કે મુળવતન સફરને બાતિલ કરી નાંખે છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૬૦૪)
Log in or Register to save this content for later.