Chapter : સફરની નમાઝ
(Page : 201)
સવાલ(ર૪પ–૧રપ):– ઝૈદ વતને ઈકામતમાં છે અને પંદર દિવસના અંદર અંદર વતને અસલી જવાનો ઈરાદો કર્યો તો તે પંદર દિવસથી અંદરની નમાઝો કસર પઢે કે પુરી પઢે?
જવાબ(ર૪પ–૧રપ):– વતને ઈકામત જો વતને અસલીથી દૂર છે અને પંદર દિવસથી કમમાં વતને અસલી જવાનો ઈરાદો છે તો કસર પઢશે, જયાં સુધી પંદર દિવસ ઈકામતની નિય્યત નહીં કરે વતને ઈકામત ન થશે અને વતને અસલીમાં દાખલ થતા જ પુરી પઢવી પડશે, ભલે તે દિવસે જવાનો ઈરાદો હોય, વતને ઈકામત સફરથી બાતિલ થઈ જશે, વતને અસલી સફરથી બાતિલ નથી થતું. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃર/૬૧પ)
Log in or Register to save this content for later.