[૧૭૩] નાના ગામમાં જુમ્અહ જાઈઝ નથી

Chapter : નમાઝ

(Page : 240-241)

સવાલ :– અમારા ગામ ગોવાલીમાં આશરે ર૦૦૦ ઘર હિન્દુ લોકોના છે. તેમાં ૧પ ઘર મુસ્લિમોનાં છે અને અમારા ગામમાં પોષ્ટ ઓફિસ પણ છે અને બે હિન્દુ ડૉક્ટર છે અને અમારા ગામની પાસે માંડવા અઢી (રાા) માઈલ પર છે. ત્યાં જુમ્આ થાય છે અને અમારા ગામમાં લોકો અહિંયા જુમ્આ ચાલુ કરવાનું કહે છે, માટે અહિંયા જુમ્આ થાય કે નહિં ? અને અમારે જુમ્આ ચાલુ કરવી કે નહિં ? આપ જવાબ આપશો, જેથી હું ગામ લોકોને વંચાવી શકું. (કપલસાડી પણ હમારા ગામથી અઢી માઈલ છે.)

જવાબ :– જો તમારૂં ગામ એ પ્રમાણે મોટું ગામ હોય કે તેમાં બજાર હોય અને અનેક નાના–મોટા રસ્તાઓ હોય અને તેમાં બધી દૈનિક જીવન જરૂરિયાત મળતી હોય અને લગભગ ચાર હજાર (૪૦૦૦) માણસોની વસ્તી હોય તો તમારા ગામમાં જુમ્અહ પઢી શકાય છે, બલકે જુમ્અહ પઢવી જરૂરી છે. ચાહે બધા રહેવાસીઓ મુસલમાન ન હોય. અને જો એટલું મોટું ગામ ન હોય તો એવા નાના ગામમાં જુમ્અહ પઢવી જાઈઝ નથી અને ત્યાંના રહેવાસી લોકો ઉપર નજીકના શહેર કે કસબામાં જઈ જુમ્અહ પઢવી પણ જરૂરી નથી, ફકત તેઓ માટે ઝોહર પઢવી જરૂરી છે. હા, જ્યાં જુમ્અહ દુરુસ્ત થતી હોય એવી જગ્યાએ ત્યાંનો રહેવાસી જુમ્અહ વખતે પહોંચી જાય તો તેના ઉપર જુમ્અહ પઢવી જરૂરી છે, જેમ કે કોઈ નાના ગામનો રહેવાસી જુમ્આના દિવસે નજીકના શહેરમાં પહોંચી જાય તો તેણે જુમ્અહના સમયમાં જુમ્અહ જ પઢવી જરૂરી છે, બાકી તેના માટે પોતાના ગામડેથી જુમ્અહ પઢવા જવું ઝરૂરી નથી.    (શામી : ૧/પ૩૭–પ૪૭)

Log in or Register to save this content for later.