Chapter : સફરની નમાઝ
(Page : 201)
સવાલ(ર૪૪–૧ર૪):– એક માણસ પોતાના વતનથી શરઈ મસાફત પર નોકરી કરે છે,અને તેને વતને ઈકામત બનાવેલ છે, હવે છુટ્ટી દરમિયાન તે વતને અસલી ગયો, અમુક વખત પસાર કરી તે પાછો વતને ઈકામતમાં આવ્યો,અને જયારે વતને અસલી થી વતને ઈકામત આવ્યો હતો ત્યારે નિય્યત એ કરી હતી કે હું વતને ઈકામતમાં જઈને પંદર દિવસની અંદર શરઈ મસાફતની અંદર કામ અંગે સફર કરીશ તો હવે મજકૂર માણસ કસર કરશે કે કેમ ? અગર વતને ઈકામતમાં જે ગેરશરઈ મસાફતનો ઈરાદો છે, શું વતને ઈકામતમાં પણ કસર જ કરશે ? તે ખુલાસાવાર જવાબ લખશો ?
જવાબ(ર૪૪–૧ર૪):– વતને અસલીથી વતને ઈકામત (નોકરીના સ્થાન) જવાના સમયે પંદર દિવસથી ઓછું થોભવાની નિય્યત છે તો કસર કરે,વતને ઈકામતમાં પણ કસરથી નમાઝ પઢે,જયાં સુધી પંદર દિવસ અથવા એથી વધુ થોભવાની નિય્યત કરે નહિં,કારણ કે વતને ઈકામત અગાઉના સફરથી બાતિલ થઈ ગયું,વતને ઈકામતમાં પંદર દિવસ થોભવાની નિય્યત કર્યા પછી ૪૮ માઈલની અંદર જશે તો પુરી નમાઝ પઢવી પડશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શર્હે વિકાયાઃ૧/૧૯૪)
Log in or Register to save this content for later.