Chapter : સફરની નમાઝ
(Page : 200)
સવાલ(ર૪૩–૧ર૩):– હું મારૂ ગામ છોડી વતનથી ૪૮ થી પ૦ માઈલ દૂર રહું છુ, બે ચાર મહીને બે ચાર દિવસ માટે ઘેર આવું છુ,ત્યારે હું મુસાફિર ગણાવું કે કેમ ? અને ત્યાં કસર નમાઝ પઢવી કે કેમ ? જુમ્આની નમાઝ પઢવી કે કેમ ? વેપારી કામકાજના લઈને હાલના મુકામથી કાંઈક માલ ખરીદ કરવા અથવા બીજા કારણસર કે ફરવા ૪૮ થી પ૦ માઈલ દૂર જાય કે જયાં પંદર દિવસથી ઓછા રહેવા વિચાર હોય તો ત્યાં મુસાફિર ગણાય કે કેમ ?
જવાબ(ર૪૩–૧ર૩):– જયારે તમે તમારા અસલી વતનમાં જાવો તો ત્યાં પુરેપુરી નમાઝ પઢવી જોઈએ,કારણ કે હાલ જયાં તમે રહો છો તે વતને ઈકામત છે,એ વતને ઈકામતથી જયારે કામ અર્થે,વેપાર અર્થે ૪૮ માઈલ દૂર જવામાં આવે અને પંદર દિવસ ત્યાં રહેવાની નિય્યત ના હોય તો કસર પઢવામાં આવશે,અને ત્યાંના મુકીમ ઈમામ પાછળ (અદા નમાઝ) પઢશો તો પુરી પઢવામાં આવશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૬૦૪)
Log in or Register to save this content for later.