સફરના માર્ગમાં કસર.

Chapter : સફરની નમાઝ

(Page : 199)

સવાલ(ર૪ર–૧રર):–       હું જે જગ્યા પર રહું છું હાલ ત્યાંથી મારૂ વતન લગભગ ૪૮ માઈલ છે. હાલ હું જે જગ્યા પર રહું છું ત્યાં રહીને કામ કરૂં છું હવે મારે મારા વતનમાં જવું હોય ત્યાં મારે નમાઝ કસર પઢવી કે નહીં? અને રહેવાની નિય્યત ૧પ દિવસથી ઓછી છે અને મારા બાલ–બચ્ચા મારા વતનમાં જ છે મારે મારા વતનથી આગળ જવું છે જો કે મારો રસ્તો મારા વતનથી અર્ધા માઈલ પર થઈને જાય છે અગર પાંચ માઈલ પર થઈને જતો હશે તો મારે નમાઝ કેમ પઢવી? કસર પઢવી કે નહિં? અને મેં મારા વતનમાં એક પણ ટાઈમની નમાઝ પઢી નહીં લગભગ અથવા એક માઈલ પર જઈને પઢી અથવા ત્રણ માઈલ પર જઈને પઢવું હોય તો મારે શું કરવું? કસર કરવી કે નહિં? જો કે મારા વતનમાં રહેવાની નિય્યત ૧પ દિવસથી ઓછી છે અને મારૂ વતન ૪૮ માઈલ છે.

 જવાબ(ર૪ર–૧રર):–     મુળ વતનથી નોકરી સ્થળ અંકે અડતાલીસ માઈલ કે એથી વધુ દૂર હોય તો માર્ગમાં કસર નમાઝ પઢવી જોઈએ. મુળ વતનમાં પુરી પઢવી પડશે ભલેને ૧પ અંકે પંદર દિવસોથી ઓછી રહેવાની નિય્યત હોય, કારણકે મુળ વતનમાં પ્રવેશતાં જ સફર બાતિલ થઈ જાય છે મુળ વતનથી બહાર (અળધો માઈલ) થઈને પસાર થવાનું હોય તો કસર જ પઢવી પડશે. મુળ વતનમાં નમાઝનો ટાઈમ શરૂ થઈ ગયો પરંતુ નમાઝ પઢી નહિં અને એજ નમાઝના છેલ્લા વખતમાં સફર કર્યો તો કસર પઢવી પડશે. કઝામાં પણ છેલ્લા ટાઈમનો એઅતેબાર છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.                (હિદાયાઃ૧/૧૬૬, આલમગીરી :૧/૧૩૯ )

Log in or Register to save this content for later.