કેટલા માઈલે નમાઝ કસર કરવી ?

Chapter : સફરની નમાઝ

(Page : 199)

સવાલ(ર૪૦–૧ર૦):–     મારૂ અસલ વતન ૭૦ માઈલ દૂર છે,તો હું મારા અસલી વતન જાઉં તો મારે નમાઝ કસર કરી પઢવી પડશે ? કે પુરી પઢવી પઢશે ? કેટલા માઈલ પર કસર લાગુ પઢશે ? અને મારા અસલી વતનમાં કસર પઢી તો શું કરવું ? દોહરાવવી કે નહિં ? મે નમાઝ કસર પઢાવી છે, મુકતદીએ ચાર પઢી અને મેં બે કસર પઢી તો મુકતદીને પણ નમાઝ દોહરાવવી પડશે ? અથવા મારે એકલાને જ દોહરાવવી પડશે ?

જવાબ(ર૪૦–૧ર૦):–      ૪૮ માઈલ સફર ઉપર કસર લાગુ પડશે,ભરૂચથી તમારૂ વતન ૭૦ માઈલ દૂર છે,તો રસ્તામાં કસર કરવી પડશે,વતનમાં પ્રવેશયા પછી પુરી પઢવી પડશે; વતન,સફરને બાતિલ કરી નાંખે છે,જેથી વતનમાં પઢેલી બધી નમાઝો લોટાવવી પડશે,અને મુકતદીયોએ પણ દોહરાવવી પઢશે,કારણ કે તેઓ ઈમામના તાબે છે,ઈમામની નમાઝ ફાસિદ થવાથી તેમની પણ ફાસિદ લેખાશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(હિદાયાઃ ૧/૧૬પ. જવાહિરુલ ફિકાહઃ ૪/ર૮૮)

Log in or Register to save this content for later.