Chapter : સિજદએ સહવ
(Page : 197)
સવાલ(ર૩૭–૧૧૭):– ઈમામ સાહબની એક બે રકા’ત થઈ ગઈ હતી,ત્યાર પછી ઈમામ સાહબ સાથે જમાઅતમાં શામેલ થયો છું, છેવટે ઈમામ સાહબે સિજદએ સહવ કર્યો તો મારે ઈમામ સાહબ સાથે સિજદો કરવો કે નહિં ? જો મારી છુટેલી રકા’ત માં ઈમામ સાહબની ભૂલ થઈ હોય તો એ સિજદો કરવો પડશે ?
જવાબ(ર૩૭–૧૧૭):– ઈમામ સાહબની ભૂલ થઈ ત્યારે તમો શામેલ હોય કે ન હોય બન્ને સુરતમાં તમારે ઈમામ સાહબની તાબેદારીના કારણે ઈમામ સાહબ સાથે સિજદએ સહવ કરવો વાજિબ છે. દુર્રે મુખ્તારમાં છે લિ વુજૂબિલ્ મુતાબઅતિ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/પ૪૬)
Log in or Register to save this content for later.