ઈમામ અને મુકતદી પર સિજદએ સહવ નથી.

Chapter : સિજદએ સહવ

(Page : 197)

સવાલ(ર૩પ–૧૧પ):–     ઈમામ સાહબની પાછળ નમાઝ પઢતાં મુકતદીથી એવી ભૂલ થાય કે જેમાં સિજદએ સહવ લાગુ પડે છે,તો મુકતદી પર ફકત સિજદો લાગુ પડશે કે ઈમામ સાહબ ઉપર પણ સિજદો કરવો જરૂરી ઠરશે ?

જવાબ(ર૩પ–૧૧પ):–     ઉપરોકત બનાવમાં ન મુકતદી ઉપર સિજદએ સહવ વાજિબ થશે ન તો ઈમામ સાહબ ઉપર સિજદએ સહવ વાજિબ થશે, કારણ કે મુકતદી તો ઈમામ સાહબનાં તાબે છે, જો ઈમામ સાહબ એવી કોઈ ભૂલ કરે તો ઈમામ સાહબ અને મુકતદી બન્‍ને ઉપર સિજદએ સહવ વાજિબ થશે,મુકતદી માટે ઈમામ સાહબની તાબેદારી વાજિબ છે,મુકતદીની તાબેદારી ઈમામ સાહબ ઉપર વાજિબ નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(શામીઃ  ર/પ૪૬. હિદાયા, ૧/૧પ૯, આલમગીરી૧/૧ર૮)

Log in or Register to save this content for later.