સૂરએ ફાતિહા બે વાર પઢવી.

Chapter : સિજદએ સહવ

(Page : 195)

સવાલ(ર૩૦–૧૧૦):–      ઈમામ સાહબે અલ્હમ્દો શરીફ પઢી,અને કિરા’ત પણ બે આયત ના બરાબર પઢી,આગળ ચાલી ન શકવાના કારણે ફરી અલ્હમ્દો શરીફ પઢી નમાઝ પુરી કરી,તો શું આ પ્રમાણે કરવાથી સિજદએ સહવ લાગુ પડશે ?

જવાબ(ર૩૦–૧૧૦):–      ઉપરોકત બાબતમાં સિજદએ સહવ વાજિબ થશે, સૂરએ ફાતિહા (અલ્હમ્દો શરીફ) લોટાવવી ન જોઈએ,જો સિજદએ સહવ કર્યો ન હોય તો નમાઝ અધુરી થવાથી ફરી પઢવી પઢશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                (આલમગીરી.૧/૧ર૬)

Log in or Register to save this content for later.