Chapter : તરાવીહ
(Page : 188)
સવાલ(ર૧૩–૯૩):– અહિંયા એક હાફિઝ મોલ્વી છે,અને બીજા ફકત મોલ્વી છે, રમઝાન શરીફમાં હાફેઝ મોલ્વી કુર્આનની તરાવીહ પઢાવે છે,ભૂલ બતાવનાર પાછળ કોઈ હોતુ નથી,ભૂલ થાય છે તો મૌલાના બે રકાત પછી કુર્આન શરીફમાં જોઈ લે છે, ઘણાંનું કહેવું છે કે ”અલમતર” ની તરાવીહ પઢાવે તો શું વાંધો ? માટે એ વિષે શું હુકમ છે ?
જવાબ(ર૧૩–૯૩):– જેમ તરાવીહની વીસ રકાત નમાઝ સુન્નત છે,તે જ પ્રમાણે કુર્આન શરીફ પુરૂ ખતમ કરવું તરાવીહમાં સુન્નત અને સવાબનું કારણ છે. બેહતર તો એ છે કે કોઈ સાંભળનાર બીજા કોઈ હાફેઝ હોય અને જૈય્યિદ સરસ યાદ વાલા હાફેઝ હોય,અને સાંભળનાર ન હોય તો કોઈ સમયે ભૂલ પડવાથી સલામ પછી કુર્આન શરીફ માં જોઈ તહકીક કરી લેવામાં આવે,કેટલીક વાર સાંભળનાર હોવા છતાં પઢનાર અને બતાવનાર માં વાંધો પડે છે,ત્યારે પણ કુર્આન શરીફમાં જોવું પડે છે. તરાવીહ પઢાવનારનું કુર્આન શરીફ બહું કાચું હોય અને ઘણી ભૂલો પડતી હોય તેવી સુરતમાં સાંભળનાર ન હોવાના કારણે ”અલમ્તર” થી પઢવું બેહતર લેખાશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/૪૯૭ તથા ૪૯૮)
Log in or Register to save this content for later.