Chapter : તરાવીહ
(Page : 187)
સવાલ(ર૧૧–૯૧):- તરાવીહ ની ચાર રકાત પછી દુઆ કે ફાતિહા પઢવું કે નહિં ?
જવાબ(ર૧૧–૯૧):– તરાવીહની દર ચાર રકાત પછી તરવીહા (થોડીવાર બેસવું) મુસ્તહબ છે. તેમાં ઝોરથી દુઆ પઢવી અથવા ફાતેહા પઢવું સાબિત નથી, તેમાં ઈખ્તિયાર છે, તસ્બીહ પઢે અથવા એકલા એકલા દુઆ માગે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/૪૯૭)
ફાયદોઃ– તસ્બીહ આ પ્રમાણે પઢવી. સુબ્હાન જીલમુલ્કિ વલ મલકુત સુબ્હાન જીલ્ઈઝઝતિ વલ અજમતિ વલ કુદરતિ વલ કિબરિયાઈ વલ જબરૂત,સુબ્હાનલ મલિકિલ હય્યિલ લજી લા યનામુ વલા યમૂત,સુબ્બુહુન કુદ્દુસુન રબ્બુના વ રબ્બુલ મલાઈકતિ વર્રુહ,લાઈલાહ ઈલ્લલ્લાહ,નસ્તગફિરૂલ્લાહ,નસ્અલુલ્લાહલ જન્નહ વનઉજુબિક મિનન્નાર.(સંપાદક) (શામીઃ ર/૪૯૭)
Log in or Register to save this content for later.