Chapter : નમાઝ
(Page : 239-240)
સવાલ :– જુમ્આના દિવસે બે ખુત્બહ દરમિયાન જ્યારે ખતીબ સાહેબ બેસે છે તે બેસવાના વખતને જુમ્આના દિવસની કબૂલિયતની ઘડીઓમાંથી એક ઘડી ગણવામાં આવે છે અને તે વખતે ખુત્બહ સાંભળનાર જે દુઆ માંગે છે તે કબૂલ થાય છે તે હકીકત સહીહ છે ?
જવાબ :– જુમ્આના દિવસમાં દુઆની કબૂલિયતની એક ઘડી છે. તે ઘડીમાં જે વ્યકિત દુઆ કરે છે તે કબૂલ થાય છે. મજકૂર હકીકત સહીહ હદીસથી સાબિત છે. મજકૂર ઘડીનો સમય નક્કી કરવામાં વિવિધ મંતવ્યો છે. વિશ્વાસપાત્ર મંતવ્યોમાંથી એક મંતવ્ય આ છે કે મજકૂર કબૂલિયતની ઘડી ઈમામના મિમ્બર ઉપર બેસવાથી લઈ નમાઝ પૂરી થવાના સમય દરમિયાન હોય છે, પરંતુ ખુત્બહના સમયમાં દિલથી દુઆ કરવામાં આવે, ઝુબાનથી ન કરવામાં આવે, કારણ કે ખુત્બહના સમયે ચૂપ રહેવું જરૂરી છે. (શામી : ૧/પપ૪)
Log in or Register to save this content for later.