ઝોહરની સુન્નતો વિષે.

Chapter : સુન્‍નત અને નફલ

(Page : 184)

સવાલ(ર૦૪–૮૪):–        ઝોહરની ફર્ઝ નમાઝની તકબીર થઈ રહી હતી,એક માણસ આવી સુન્‍નત પઢવા લાગ્યો,તેને રોકવા છતાં તે સુન્‍નત પઢવા લાગ્યો તો શું તે સુન્‍નત પઢી શકે છે ?

જવાબ(ર૦૪–૮૪):–        ફજરની સુન્‍નત સિવાય બીજી સુન્‍નતો જમાઅત ઉભી થયા બાદ પઢવી મના છે,ભલેને જમાઅત મળવાની આશા હોય,સુન્‍નતો છોડી જમાઅતમાં શામિલ થવું જરૂરી છે,જેમકે ફિકહની સર્વે કિતાબોમાં વર્ણન છે, છુટી ગયેલ અગાઉની સુન્‍નતો ફર્ઝ બાદ પઢી લેવામાં આવે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (શામીઃ  ર/પ૧૩. મરાકિયુલ ફલાહઃ૧૧૧)

Log in or Register to save this content for later.