અર્થ ફાસિદ થવાથી નમાઝ ફાસિદ.

Chapter : જેનાથી નમાઝ ફાસિદ થાય

(Page : 178)

સવાલ(૧૯ર–૭ર):– બે દિવસ પહેલાં ઈશાંની નમાઝ પઢાવવાનો મોકો ઉપસ્થિત થતાં મારે ના છુટકે આગળ થવું પડયું,ઉકત નમાઝમાં પ્રથમ રકાતમાં સૂરએ ફાતિહા પછી ” સૂરએ યૂસુફ” પઢવાની મેં શરૂઆત કરી,ઉકત સૂરતમાં ત્રીજી આયતમાં ભૂલ થવાનો મને શક જણાયો,પાછળ કોઈ લુકમો આપનાર ન હતો,એટલે મેં અટકયા  વિના આગળ ચલાવ્યે રાખ્યું,અને પ્રથમ રૂકૂઅની બાકીની ત્રણ આયતો પઢી રૂકૂઅ પુરો કર્યો,ચાર રકાત પુરી કર્યા બાદ વિચાર કરતાં જણાયું કે ” વઈન કુન્ત મિન કબ્લિહિ લમિનલ ગાફિલીન ” ના બદલે ” વઈન્‍નહુ લમિનલ ગાફિલીન” અથવા ”વલ્લાહુ લમિનલ ગાફિલીન” પઢી જવાનો મને સંદેહ જણાયો, ઉકત આયતના જુમ્લામાં સહી જુમ્લાને ઠેકાણે ઉપર દર્શાવેલ ગલત જુમ્લાથી ગમે તે એક જુમ્લો પઢાય ગયો હોય તો નમાઝમાં કોઈ વાંધો આવે ખરો ? નમાઝમાં જ મને ભૂલ મહસૂસ થઈ ગયેલી, જેથી મેં ભૂલ જવા બાદ બાકીની ત્રણ આયતો પણ પઢી લીધી હતી, નમાઝમાં કંઈ વાંધો ખરો ?

જવાબ(૧૯ર–૭ર):– ઉકત ગલત વાકયથી અર્થાત બદલાય ગયા,જેથી નમાઝ ફાસિદ થશે,લોટાવવી પડશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.              (શામીઃ ર/૩૯૩)

Log in or Register to save this content for later.