[૧૭૧] ઈમામના મોડા આવવાથી જુમ્અહ છોડવી

Chapter : નમાઝ

(Page : 238-239)

સવાલ :– એક ગામમાં એક જ ઈમામ છે અને આ ગામમાં જુમ્આ થાય છે. જુમ્આની નમાઝનો ટાઈમ ૧–૧૦ રાખેલો છે. કોઈ કારણસર ઈમામ સા. એક વાગ્યાના બદલે ૧–૩૦ વાગ્યે આવ્યા. ત્યાંના એક ગુજરાતી આલિમે કહયું કે હવે જુમ્આની નમાઝ થઈ શકતી નથી, તેમજ ઝોહરની જમાઅત પણ થઈ શકતી નથી. પોતપોતાની ફર્ઝ નમાઝ પોતે જ અદા કરી લો. આ રીતે આ ગુજરાતી આલિમે ન જુમ્આની નમાઝ થવા દીધી કે ન ઝોહરની જમાઅત થવા દીધી. અહિંના ઈમામ સા. તેમજ ગામનાં લોકો પણ કંઈ ન બોલ્યા અને આ રીતે જુમ્આ અને ઝોહરની જમાઅત ન થઈ શકી તો શું ફક્ત ર૦ મિનિટ મોડું થવાથી જુમ્આની નમાઝ પઢી શકાય કે નહિ ? અને ઝોહરની નમાઝ થાય કે નહિ ?

જવાબ :– જે સમય ઝોહરની નમાઝનો છે તે જ સમય જુમ્આની નમાઝનો પણ છે અને એક કલાક ત્રીસ મિનિટે ગુજરાતમાં કોઈ જગ્યાએ કોઈ પણ ૠતુમાં ઝોહર અને જુમ્આનો સમય પૂરો થઈ જતો નથી, બલકે તે પછી લાંબા અંતરે પૂરો થાય છે. માટે જો મજકૂર વસ્તી મોટું ગામ હતું કે જ્યાં જુમ્આની નમાઝ ફર્ઝ અને દુરુસ્ત થાય છે તો આલિમ સા.નું જુમ્આ પઢવાથી લોકોને રોકવું દુરુસ્ત ન હતું. જો નાનું ગામડું હતું કે જ્યાં જુમ્આની નમાઝ દુરુસ્ત ન થતી હોય તો રોકવું દુરુસ્ત હતું, પરંતુ એવા ગામડામાં ઝોહરની નમાઝ જમાઅત સાથે પઢી શકાય છે. માટે ઝોહરની જમાઅતથી રોકવું દુરુસ્ત ન હતું. અને જો મોટા ગામમાં જુમ્આ દુરુસ્ત હોય ત્યાં જુમ્આની નમાઝ છૂટી જાય તો જમાઅતથી ઝોહરની નમાઝ પઢવી મકરૂહ છે.            (શામી : ૧/પ૪૯)

Log in or Register to save this content for later.