Chapter : જેનાથી નમાઝ ફાસિદ થાય
(Page : 177)
સવાલ(૧૮૭ –૬૭):– ઈમામ સા.પાંચમી રકાત માટે ચાર રકાત સમજી ઉભા થઈ ગયા,કોઈએ લુકમો આપ્યો,અને બધા ઉભા થઈ ગયા,માત્ર એક જ ભાઈ બેસી રહયા,અને જયારે ઈમામ સાહબે સલામ ફેરવી,તો તે ભાઈએ પણ ઈમામ સાહબની ઈકતિદામાં સલામ ફેરવી લીધી,નમાઝ પછી ચર્ચા થઈ કે પાંચ રકાત થઈ જેને કારણે બધાંએ નમાઝ ફરીથી પઢી,પરંતુ તે ભાઈ જે પાંચમી રકાતમાં શરીક ન થયો, અને બેસી રહયો તેણે કહયું કે તમો પઢો,મારી નમાઝ તો થઈ ગઈ,તો લોકોએ કહયું કે ઈમામની નમાઝ ન થઈ તો તારી કેવી રીતે થઈ ગઈ ? તો એ માણસે શું કરવું ?
જવાબ(૧૮૭–૬૭):– જે ભાઈ બેસી રહયો તેણે સારૂ કર્યુ,ઈમામ સાથે ઉઠવું ન જોઈએ,જો બધા મુકતદીઓ બેસી રહયા હોત તો ઈમામને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો હોત,અને ઈમામ પાછા બેસી જાત જેનાથી નમાઝ ફાસિદ થવાથી બચી જતે,કાયદાએ અખીરી (છેલ્લો કાયદો) છુટી જવાના કારણે બધાની નમાઝ ફાસિદ થઈ ગઈ,માટે બધા પર લોટાવવું (નમાઝ ફરીથી પઢવી) જરૂરી છે,મજકૂર ભાઈની નમાઝ પણ ઈમામની નમાઝ સાથે જોડાણના લઈ ફાસિદ થશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (ઈમ્દાદુલ ફતાવાઃ ૧/પ૪૪)
Log in or Register to save this content for later.