રકાત છુટી ગઈ હોય અને ઈમામ સાથે સલામ ફેરવી લીધી.

Chapter : જેની રકાતો છુટેલ હોય

(Page : 176)

સવાલ(૧૮પ –૬પ):–મગરિબની જમાઅતમાં એક માણસ શામેલ થયો, પરંતુ તેની રકાત છુટી ગઈ હતી,જયારે ઈમામ સાહબે સલામ ફેરવી તો તે માણસે પણ ઈમામ સાહબ સાથે બન્‍ને તરફ સલામ ફેરવી લીધી,પછી તે માણસને ખ્યાલ આવ્યો કે મારી એક રકાત છુટી ગઈ છે,પરંતુ પોતાની જગ્યાએથી તે હટયો નહિં,તો હવે તેને શું કરવું જોઈએ ?

જવાબ(૧૮પ–૬પ):– નમાઝના મુનાફી (વિરૂધ્ધ)કોઈ કામ જેમકે વાત કરવી,હવા છોડવી વિગેરે કર્યુ ન હોય તો ઉઠીને છુટી ગયેલી રકાત પઢી છેલ્લા કાયદા બાદ સિજદએ સહવ કરવાથી નમાઝ દુરૂસ્ત થઈ જશે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.  (શામીઃ ર/૩પ૦)

Log in or Register to save this content for later.