રોઝહ તોડવાના કારણો

Chapter : રોઝહ તોડવાના કારણો

(Page : 62 to 63)

પ્રાણ અને બીમારી વધવાના ખતરાથી રોઝહ તોડવો

આકસ્મિક કોઈ એવી શકલ પેશ આવી જાય કે જો રોઝહ ન તોડે તો પ્રાણ ખતરામાં પડી જશે અથવા બીમારી વધી યા લંબાઈ જશે તો રોઝહ તોડવો જાઈઝ છે. તંદુરસ્ત થયા પછી તેની કઝા કરે. (કિતાબુલ મસાઈલ : ર/૯૯, ઝુબ્દતુલ ફતાવા : ૪/૪૦ર)

ગર્ભવતી ઓરત માટે ગુંજાઈશ

ગર્ભવતી ઓરતને કોઈ એવી વાત પેશ આવી ગઈ કે જેનાથી પોતાના જીવ અને બાળકના જીવનો ખતરો છે તો તેના માટે રોઝહ તોડવો જાઈઝ છે. (કિતાબુલ મસાઈલ : ર/૯૯)

દૂધ પિવડાવનારી માટે સહૂલત

દૂધ પિવડાવનારીને રોઝહ રાખવામાં પોતાની અથવા દૂધ પીનાર બાળકની હલાકતનો અથવા બીમારીનો ભય હોય તો રોઝહ છોડી શકે છે, પરંતુ પાછળથી કઝા કરવી જરૂરી છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૪૦ર, કિતાબુલ મસાઈલ : ર/૯૯)

ઘરડા માટે ફિદયહ

વૃદ્ધાવસ્થાના કારણે કમજોરી એટલી વધી ગઈ કે રોઝહ રાખવાની તાકાત ન હોય અને દિનપ્રતિદિન ઘરડાપણાથી કમજોરી અને અશક્તિ વધતી જ જતી હોય તો એવા માણસ માટે ફિદયહ આપવો જરૂરી છે.

આવા ઘરડા માણસ પર એક રોઝહ દીઠ એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉં અથવા એની કિંમત આપવી જરૂરી છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૪૦૩)

Log in or Register to save this content for later.