Chapter : રોઝાના મુસ્તહબ કામો
(Page : 59)
રોઝાના મુસ્તહબ કામો
(૧) સૂરજ ડૂબતાંની સાથે જ નમાઝ પહેલાં રોઝહ છોડવામાં જલદી કરવી.
(ર) ખજૂર અથવા ખારેકથી ઈફતાર કરવી, ત્યાર બાદ પાણીનો દરજો છે.
(૩) જે વસ્તુથી રોઝહ છોડવામાં આવે છે તે એકી સંખ્યામાં હોય.
(૪) ઈફતાર વખતે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી આ દુઆ પઢવી મન્કૂલ છે : ”યા વાસિઅલ ફદલિ, ઈગ્ફિરલી.”
(પ) ઈફતારની મસ્નૂન દુઆઓ પઢવી :
અલ્લાહુમ્મ લ–ક સુમ્તુ વ અલા રિઝકિ–ક અફતરતુ.
અલ્લાહુમ્મ લ–ક સુમ્તુ વ અલા રિઝકિ–ક અફતરતુ, ફ–તકબ્બલ મિન્ની, ઈન્ન–ક અન્તસ્સમીઉલ અલીમ.
(૬) ઈફતાર પછી મસ્નૂન દુઆ પઢવી :
ઝ–હબઝ ઝ–મ–ઉ વબ્તલ્લતિલ ઉરૂ–કુ વ સ–બ–તલ અજરુ ઈન્શા અલ્લાહ.
(૭) ઈફતાર કરાવનાર માટે દુઆ કરવી :
અફત–ર ઈન્દકુમુસ્સાઈમૂ–ન વ અ–ક–લ તઆ–મકુમુલ અબ્રારુ વ સલ્લત અલયકુમુલ મલાઈકહ.
(૮) કંઈક ને કંઈક સેહરીના સમયે ખાવા ખાય યા પીએ, ભલે થોડુંક જ હોય અથવા એક ઘૂંટડો પાણી હોય.
(૯) સેહરીમાં એટલું મોડું ન કરે કે સવાર થવાનો ભય થવા લાગે.
(૧૦) જબાનને બેહૂદહ, વ્યર્થ અને નકામી વાતોથી બચાવે અને દરેક પ્રકારના હરામ કામો, જેમ કે ગીબત અને ચુગલી કરવાથી કોઈ પણ ભોગે બચતા રહેવું
(૧૧) રિશ્તેદારો, મોહતાજો અને મિસ્કીનોને સદકાતો–ખૈરાતથી નવાઝે.
(૧ર) ઈલ્મ પ્રાપ્તિમાં મશ્ગૂલ રહેવું, તિલાવત કરવી, દુરૂદ શરીફ પઢવું, ઝિક્રે ઈલાહીમાં રાત–દિવસ વિતાવવો.
(૧૩) એતિકાફ કરવો.
(કિતાબુલ મસાઈલ : ર/૯૮, દારુલ ઉલૂમ માસિક : ર૮ જુલાઈ : ર૦૧ર)
Log in or Register to save this content for later.