ઝોહરની ત્રણ રકાત છુટી હોય તો ?

Chapter : જેની રકાતો છુટેલ હોય

(Page : 174)

સવાલ(૧૮૦–૬૦):–        ઝોહરની ચાર રકાત ફર્ઝ છે,તેમાંથી જો ત્રણ રકાત છુટી જાય તો કેવી રીતે પઢે ?

જવાબ(૧૮૦–૬૦):–        મસ્બૂકની પહેલી બે રકાતો કિરાઅતવાળી છુટી ગઈ, માટે બે રકાતમાં સૂરત મેળવ્વી પડશે,જેની રીત એ છે કે ઈમામના સલામ ફેરવ્યા પછી ઉઠીને એક રકાત સૂરત મેળવી પઢે,અને કાયદો કરે,ફરી ઉઠીને બે રકાત પઢે,તેમાંથી એક(તેની ત્રીજી) રકાતમાં સૂરત મેળવે, બીજીમાં નહીં. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (હિદાયાઃ૧/૧૪૭, શામીઃ ર/૩૪૬)

Log in or Register to save this content for later.