Chapter : જમાઅત વિષે
(Page : 172)
સવાલ(૧૭પ–પપ):– સ્ટેશન પાસે એક મસ્જિદ છે,ત્યાં જમાઅતથી નમાઝ થઈ ગઈ હોય,હવે બીજા મુસલ્લી જમાઅતખાનામાં બીજી જમાઅતથી નમાઝ પઢે તો થઈ શકે કે નહિં ?
જવાબ(૧૭પ–પપ):– સ્ટેશનની મસ્જિદમાં બીજી જમાઅત કોઈ પણ વાંધા વિના જાઈઝ છે,બલ્કે અફઝલ છે.મહોલ્લાની મસ્જિદમાં મકરૂહે તહરીમી છે, જેમકે દુર્રે મુખ્તારમાં છે,” યુકરહુ તકરારૂલ જમાઅતિ બિ અઝાનિન વ ઈકામતિન ફી મસ્જિદે મહલ્લતિન લા ફી મસ્જિદે તરીકિન” સ્ટેશનની મસ્જિદ પણ માર્ગની મસ્જિદ લેખાશે.ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (ઈમદાદુલ ફતાવાઃ ૧/ રર૮)
ફાયદોઃ સ્ટેશનની મસ્જિદથી એવી મસ્જિદ મુરાદ છે જેમાં ઈમામ અને મોઅઝઝિન નકકી ન હોય,અને જો સ્ટેશનની મસ્જિદમાં ઈમામ તથા મોઅઝઝિન નકકી હોય તો બીજી જમાઅત મકરૂહે તહરીમી છે. જેમકે ફતાવા દારૂલ ઉલૂમમાં છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃર/ર૮૮ તથા ફતાવા દારૂલ ઉલૂમઃ ૩/૪પ તથા ૪૬ )(સંપાદક)
Log in or Register to save this content for later.