Chapter : જમાઅત વિષે
(Page : 170)
સવાલ(૧૭૩–પ૩):– એક મુસલમાન બીજા મુસલમાનભાઈને મસ્જિદમાં નમાઝ પઢવા માટે રોકે છે,જેમકે તે પોતે ઘરમાં નમાઝ પઢે છે,જમાઅતથી અલગ પઢે છે,અને ચાહે છે કે બીજા લોકો પણ મસ્જિદમાં નમાઝ ન પઢે,એ માટે શરીઅતનો શું હુકમ છે ?
જવાબ(૧૭૩–પ૩):– મસ્જિદમાં જમાઅતથી નમાઝ પઢવી સુન્નતે મોઅકકદહ છે.શરઈ ઉઝર વિના જમાઅત છોડનાર લા’નતપાત્ર તથા ગુનેહગાર ઠરશે,જમાઅત છોડનાર માટે અલ્લાહના રસૂલ (સલ.) એ સખત ગુસ્સો વર્ણવ્યો છે :
જેમકે હઝરત અબૂહુરૈરહ (રદિ.) નકલ કરે છે કે અલ્લાહના રસૂલ (સ. અ.વ.) એ ફરમાવ્યું, તે (પવિત્ર) જાતની કસમ જેના કબજામાં મારી જાન છે,મને એવો વિચાર આવે છે કે લાકડાંઓ એકત્ર કરવાનો હુકમ આપું જે એકત્રિત કરવામાં આવે પછી નમાઝનો હુકમ આપું કે જેના માટે અઝાન કહેવામાં આવે અને એક માણસને લોકોની ઈમામત કરવાનો હુકમ આપું પછી એવા માણસો કે જેઓ નમાઝ જમાઅત સાથે પઢવા હાજર થતાં નથી એવા લોકોના ઘરે આગ લગાવી દઉ;
જમાઅત બાબત અત્યંત તાકીદ આવી છે,ઘરમાં એકલા પઢી લેવાથી ફર્ઝ અદા થઈ જશે,પરંતુ અધુરો અદા થશે,જમાઅતથી કામિલ લેખાશે.વળી બીજાને મસ્જિદ જતાં રોકવું એથી વધારે બુરૂં અને શૈતાની કૃત્ય છે,શૈતાન ભલાઈથી રોકે છે,અને બુરાઈનો હુકમ કરે છે,મુસ્લિમને શોભાસ્પદ નથી, વહેલી તકે સાચી તૌબહ કરે,અને પોતે પણ જમાઅતની પાબંદી કરે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (સૂરએ બકરહઃ ૧૧૪. મિશકાત શરીફઃ ૯પ)
Log in or Register to save this content for later.