ફિલ્મ–પિકચર જોનાર ઈમામ સા.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 168)

સવાલ(૧૬૮–૪૮):– અમારા ગામમાં ઈમામ સા. ઈમામત તથા બાળકો પઢાવે છે,ઈમામ સાહબ નાટક સિનેમાં તથા ભવાઈ પણ જુએ છે,તેમ બીજી રીતે પણ અખલાક સારા નથી,તો આવા ઈમામ પાછળ નમાઝ પઢવી જાઈઝ છે ? મુતવલ્લીને આ બધી બાબતની ખબર હોવા છતાં પગલાં લેતા નથી,તો આ વિષે શરીઅતનો શું હુકમ છે ?

જવાબ(૧૬૮–૪૮):–        એવા ફાસિક–ફાજિર ઈમામ પાછળ નમાઝ મકરૂહ થશે, એ વબાલ ઈમામ–નિમણુંકકર્તા ઉપર છે,જો સર્વ મુસલ્લીઓએ એ કામ (ઈમામની નિમણુંકતા) એકલા મુતવલ્લીને સોંપી દીધુ હોય તો મુતવલ્લીએ પગલાં લેવાં જોઈએ,મુસલ્લીઓની જવાબદારી નથી,ઈમામને એકાંતમાં સમજાવે જેથી પોતાની કુટેવ ત્યજી આદતો સુધારે,નહીં તો ઈમામતથી બરતરફ (છુટા)કરે,અને બીજા નેક પરહેઝગારને ઈમામ બનાવે,જો મુતવલ્લી ઉપરોકત બાબત ધ્યાન આપે નહિં એટલે ઈમામને કાંઈ કહે નહિં તો મુતવલ્લી વિરૂધ્ધ મુસલ્લીઓએ અવાઝ ઉઠાવવો જોઈએ,પરંતુ ફિત્નો–ફસાદ થાય નહીં,એવી હિકમતથી કામ કરવું જોઈએ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(ફતાવા દારૂલઉલૂમઃ૩/૮૯)

Log in or Register to save this content for later.