Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 167)
સવાલ(૧૬૬–૪૬) બસુગામમાં મોલવીએ વીસ વરસની અંદર અગિયાર ખૂન કરાવ્યા,તથા તબ્લીગથી વિરૂધ્ધ રહીને ફિત્ના ફસાદ કરાવે છે,અને ગામમાં ઈમામત કરાવે છે,તો હવે મુકતદીયોને એ ઈમામ પાછળ નમાઝ પઢવું કે કેમ ? તથા તબ્લીગ વાળાઓને તથા મોટા મોટા બુઝુર્ગોને ગાળો બોલે છે,તથા તબ્લીગવાળાને ખોટા માને છે,તો એ વિષે શું હુકમ છે?
જવાબ(૧૬૬–૪૬) આવો માણસ ઈમામતને લાયક નથી,કુર્આને પાક તથા હદીષશરીફમાં આવા ખૂની માટે સખતમાં સખત વઈદ વર્ણવવામાં આવી છે,આવા ફાસિક ઈમામ પાછળ નમાઝ મકરૂહ લેખાશે,તબ્લીગવાળા માણસો ખોટા નથી, એમને ખોટા કેહનાર ખોટો છે,જેની આંખોમાં કમળો હોય તેને બધુ પીળુ દેખાય,અને જેની આંખો સારી હોય તેને બધુ સારૂ દેખાય,ખરેખર આવો ઈમામ મલામતને પાત્ર છે,મહોલ્લાવાળાઓને કે મુતવલ્લીને જોઈએ કે તુરત એની બદલી કરી સારા નેક ઈમામની નિમણુંક કરે,નહિંતર બધા ગુનેહગાર થશે, અને જરૂરત હોય તો સરકારી–કાનૂની મદદ લે,તેને બદલવા પ્રયત્ન કરવામાં આવે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/ર૯૮. હિદાયાઃ ૧/૧રર)
Log in or Register to save this content for later.