Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 167)
સવાલ(૧૬પ–૪પ) હમારા ગામની મસ્જિદના ઈમામ સા.ની એક આંખે ઐબ છે,એટલે કે બચપણથી એક આંખ જતી રહી છે,ફકત એક જ આંખ ધરાવે છે,તો એમની પાછળ નમાઝ પઢી શકાય કે નહિં ? નમાઝ પઢવામાં કંઈ હરકત છે ?
જવાબ(૧૬પ–૪પ) ઉપરોકત ઈમામ પાછળ વિના કરાહતે નમાઝ દુરૂસ્ત છે,નમાઝમાં કંઈ ઉણપ આવશે નહિં,અલ્લાહના રસૂલ (સલ.)એ હઝરત ઈબ્ને ઉમ્મે મકતૂમ (રદિ.)ને જે આંધળા હતા ઈમામ બનાવ્યા હતા,કિતાબોમાં આંધળાની ઈમામત મકરૂહ જ બતાવી છે,તેનું કારણ નાપાકીથી પરહેઝ બતાવ્યું છે,કાણાંમાં એ ઈલ્લત નથી,કેવળ કાણાં હોવાના લઈ ઈમામતમાં વાંધો નથી. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (કાજીખાનઃ ૧/૪પ, શામીઃ ર/ર૯૮. )
Log in or Register to save this content for later.