Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 163)
સવાલ(૧પ૯–૩૯) હમારા ગામની મોટી મસ્જિદમાં પેશ ઈમામ છે, તેમના નાયબ ઈમામ છે,છતાં ઈમામ સાહબ બીજા માણસને શીખાવ તરીકે ઈમામ બનાવે છે, તેમ જુમ્આ ખુત્બામાં પણ બીજા માણસને ઉભા રાખે છે, પરંતુ કેટલાક મુસલ્લીઓ બીજા ભાઈને ઈમામ બનાવવાથી નારાજ છે,તો ઈમામ સાહબ તથા નાયબ ઈમામ હોવા છતાં બીજા ભાઈને ઈમામ બનાવવું કેવું છે ? ઈમામ કેવો માણસ બનવાને લાયક છે ?
જવાબ(૧પ૯–૩૯) જે ઈમામ ઈમામતના હોદ્દા માટે નકકી કરવામાં આવ્યા છે તેમનો જ હક નમાઝ પઢાવવાનો છે,તેમની ગેરહાજરી કે બીમારીમાં જેઓ નાયબ નકકી કરવામાં આવ્યા છે,તેઓને પઢાવવાનો હક છે,ઈમામની રજા વગર બીજા કોઈને હક નથી,કોઈને શીખવવા ખાતર હંમેશા ઈમામ સાહેબે ઉભા કરવું ન જોઈએ,જયારે કે મુકતદીયો પણ રાજી નથી,કોઈ સારા બુઝુર્ગ કે આલિમ આવ્યા હોય અને પોતે ઈમામ તેમને આગળ કરે એ પસંદ કરવા જોગ બાબત છે,ઈમામને જોઈએ નમાઝીઓ વચ્ચે અણગમો કે મતફેર ઉત્પન્ન થાય એવા કામથી બચે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/ર૯૭)
Log in or Register to save this content for later.