Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 162)
સવાલ(૧પપ–૩પ) હમારે ત્યાં યુ.કે.માં હનફીઓની મસ્જિદ છે,હનફી ઈમામ છે, અહિયાં ફજરની નમાંઝમાં પ૦–૬૦ હનફી મુસલ્લીઓ થાય છે. અને બે–ચાર શાફેઈ મઝહબવાળા મુસલ્લીઓ પણ થાય છે. શાફેઈ મઝહબવાળા મુસલ્લીઓનું કહેવુ છે કે ફજરની નમાઝમાં બીજી રકાતમાં અમોને કુનૂતે નાઝિલહ પઢવા માટે અમારી રિઆયત કરવામાં આવે અને હનફી મઝહબવાળા મુસલ્લીઓનું કહેવુ છે કે શાફેઈ મઝહબવાળા મુસલ્લીઓ (મુકતદીઓ)ની રિઆયત કરવામાં નહિ આવે તો શું બીજી રકાતમાં રૂકુઅમાંથી ઉભા થઈ હનફી ઈમામ, શાફેઈ મઝહબવાળા મુકતદીઓની રિઆયત માટે થોડીવાર ઉભા રહી રિઆયત કરી શકે છે કે કેમ? એમાં હનફી ઈમામ કે મુકતદિઓની નમાઝમાં કંઈ વાંધો આવી શકે કેમ?
જવાબ(૧પપ–૩પ) હનફી સરણીમાં ફજરની નમાઝમાં કુનૂત (દુઆ) નથી શાફેઈ મઝહબમાં વાજિબ છે, ન પઢવાથી તેમની નમાઝ નાકિસ (અધૂરી) લેખાશે, તેથી શાફેઈ મુકતદિઓની રિઆયત (ખ્યાલ) એટલી કરવામાં આવે કે કુનૂતનો ભાગ (વાજિબ પ્રમાણ) પઢી લે, એટલે ઈત્મિનાનથી કવ્મહ(રૂકુઅ બાદ ઉભા થવું) કરે કે હનફી મુકતદીઓ પુરી તહમીદ (રબ્બના લકલ હમ્દ, હમ્દન કષિરન તૈય્યિબન મુબારકન ફીહ) પઢી શકે, એટલી વારમાં શાફેઈ જલ્દી જલ્દી કુનૂત પઢી લેશે, વધુ ભાગ પઢીને સિજદહમાં શરીક થઈ જાય, હનફી ઈમામ એથી વધુ વિલંબ કરે નહિં કે સિજદહએ સહવ લાગુ પડે, નહિતર હનફીઓની નમાઝ નાકિસ થશે. એજ ખુદાપાક વધુ જાણનાર છે.(આલમગીરીઃ૧/૮૭)
Log in or Register to save this content for later.