વિશેષ ગેરહાજરી કરનાર ઈમામ.

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 157)

સવાલ(૧૪૮–ર૮) એક મસ્જિદના ઈમામ સા. મહીનામાં પંદર દિવસ ગામમાં રોકાય છે,તેમને ટ્રસ્ટીઓ અને નમાઝીઓએ દર મહીને રોકાવવાની (ગેરહાજર રહેવાની) ના પાડી હતી,છતાં ઈમામ સા. ટ્રસ્ટીઓને જવાબ આપે છે કે શું મારા જવાથી તમારૂ કામ અટકી રહે છે? એ જવાબના કારણે ઈમામ સા.ને ટ્રસ્ટીઓએ છુટા કર્યા હતા,અને બીજા ઈમામ સા.ની નિમણુંક કરી હતી,આમ છતાં જુના ઈમામ સા.પોતાની જીદથી જબરિયાત નમાઝ પઢાવે છે,એ ઈમામ સા.ની પાછળ નમાઝ પઢવી કે નહિં ? એ વિષે શરીયતની રૂએ શું હુકમ છે ?

જવાબ(૧૪૮–ર૮) જુના ઈમામ સા. દર્શાવેલ ગુનાહ (વિશેષ ગેરહાજરી) ના કારણે છુટા કરવાને પાત્ર છે,ઈમામની પાબંદી અતિશય જરૂરી છે. ટ્રસ્ટીઓની રજા વગર ચાલ્યા જવું જાઈઝ નથી, ટ્રસ્ટીઓને ઉપરોકત કુસૂર–ગુનાહના કારણે ઈમામને છુટા કરવાનો અધિકાર છે.અને ઈચ્છે તેની નિમણુંક કરી શકે છે,પછી ઈમામે પોતાની જાતે ઈઝઝતથી હટી જવું જોઈએ,નહિંતર અપમાનપાત્ર ઠરશે,સમજાવ્યા છતાં મુસલ્લો ન છોડે તો નોટીસ દ્રારા તેમને જાણ કરવામાં આવે,કે પગાર મળશે નહીં, બાકી એમની પાછળ પઢેલી નમાઝોમાં કાંઈ ઉણપ આવશે નહિં,નમાઝો દુરૂસ્ત લેખાશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/૮૩)

Log in or Register to save this content for later.