Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 157)
સવાલ(૧૪૭–ર૭) એક છોકરાનો જન્મ ૧૯પ૯ માં થયો હતો તે આ વરસે ૧૯૭૩ માં તરાવીહ પઢાવી શકે કે કેમ ?
જવાબ(૧૪૭–ર૭) નાબાલિગ (અયુવાન) છોકરો તરાવીહમાં પણ ઈમામ થઈ શકતો નથી,જો એ છોકરામાં બુલૂગ–યુવાનીની નિશાનીઓમાંથી (જેમકે, સ્વપ્નદોષ,ગર્ભ ઠેરાવવાની શકિત એટલે વિર્ય નીકળવું) કોઈ નિશાની દેખાય તો બાલિગ લેખાશે, નહિંતર પુરા પંદર અંકે પંદર વર્ષ (ચંદ્રના હિસાબે ) થશે ત્યારે બાલિગ થશે,એ અગાઉ ઈમામત દુરૂસ્ત નથી. ફકત ખુદા પાક વધુ જાણનાર છે. (શામીઃ ર/ર૮૪. હિદાયાઃ ૧/૧ર૩ તથા ૧ર૪)
Log in or Register to save this content for later.